Monday, December 23, 2013

Christmas

John 3:16 - For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life.

૨૫ ડિસેંબર, Christmas કે નાતાલ તરીકે ઉજવાય છે, લગભગ ૨૦૦૦ વરસ પૂર્વે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ સ્વરૂપે આ પૃથ્વી પર જન્મ્યા અને પૃથ્વી પરના ૩૩ વરસ ના આયુષ્યકાળ દરમ્યાન માનવજાત ના કલ્યાણ માટેના અદભૂત કાર્યો કર્યા, લોકોને સચોટ નૈતિક મૂલ્યો અને આદર્શ જીવન જીવવાનુ શિક્ષણ આપ્યુ અને ૩૩ વરસની ઉમરે સમગ્ર માનવજાત ના પાપો પોતાના માથે લઈ તેમણે વધસ્તંભ પર મોત સ્વીકાર્યુ જેથી કરીને સમગ્ર માનવ જાત ને તેમના પર વિશ્વાસ કરવાથી અને તેમને અંગત તારનાર તરીકે સ્વીકારવાથી અનંતજીવન પ્રાપ્ત થાય. જો કે ક્રુસિફિકેશન ના ત્રીજા દિવસે મૃત્યુ પર વિજયી થઈ તેમનુ પુનરુથાન થયુ, તે દિવસ ઈસ્ટર તરીકે ઉજવાય છે. આ થઈ Christmas અને ઈસુ ખ્રિસ્ત વિષે ની થોડી પુર્વભુમિકા . હવે વાત કરિયે ક્રિસ્મસ સેલેબ્રેશન ની.

વરસ મા માંડ ઍક તહેવાર આવે ઍટલે તેની આતુરતાથી રાહ જોવાય, ૧ ડિસેંબરથી જ જાણે તહેવાર નો માહોલ શરૂ થઈ જતો. ગુજરાતી ખ્રિસ્તી હોવાના કારણે Christmas ની ઉજવણી મા થોડી ગુજરાતી સંસ્કૃતિની અસર પણ જોવા મળે, દિવાળી ની જેમ અમારા ત્યાં પણ મઠિયા, ચોળફાળી, લાળવા વગેરે નાસ્તો બને. નવા કપડા ખરીદવા, ઘર શણગારવુ અને કેક બનાવવો પણ ક્રિસ્મસ ની ઉજવણીના ભાગરૂપે થાય. ક્રિસ્મસ નજીક આવતાજ નોન ક્રિસ્ચિયન મિત્રો કેક અને પાર્ટી માંગવાનુ શરૂ કરી દે, ખાસ કરીને દારૂ ની પાર્ટી. ક્રિસ્મસ ને વેસ્ટર્ન કલ્ચર સાથે સાંકળીને જોવામા આવે છે ઍટલે આ પ્રકારની અપેક્ષા રખાય ઍ સ્વભાવિક છે. પણ ખરેખર ઍવુ નથી, ગુજરાત મા રહેતા હોવાના કારણે અમે પણ અહીની સંસ્કૃતી અને અહીના કાયદા અને નીયમોને ઍટલાજ આધીન છે જેટલા બીજા લોકો. ઍટલે ક્રિસ્મસ સમયે અમારા ઘરોમા દારૂની મહેફીલો ચાલતી હશે ઍ માન્યતા ખોટી છે (જો કે આવી મહેફીલો કરનારાઓ પણ  છે, તેની ના નથી).

આજ કાલ તો Christmas અને ન્યૂ યિયર ની ઉજવણી કરીવી ઍ ફેશન અને સામાજીક સ્ટેટસ સિમ્બોલ થઈ ગયુ છે. ક્રિસ્મસ ની ઉજવણી કરવી ઍમા કઈ ખોટુ નથી પણ ઉજવણી ફક્ત આટલાથી જ મર્યાદિત નથી રહેતી. ખ્રિસ્તી ફિલોસોફી અને બાઇબલ પ્રમાણે Christmas ઍ તો ઍ વાત ને યાદ કરી અને ખુશી મનાવાની છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દિવસે માનવ સ્વરૂપે પૃથ્વી પર જન્મ્યા જેથી કરીને સમગ્ર માનવ જાત નો ઉધ્ધાર થાય, પાપોની માફી પ્રાપ્ત થાય અને ઍક નવુ જીવન પ્રાપ્ત થાય. ઍ વાત ને યાદ કરવાનો દિવસ છે કે તે પૃથ્વી પર આવ્યા અને સઘળા લોકો ના પાપો પોતાના માથે લઈ વધસ્તંભ પર જડાયા જેથી કરી ની મારૂ જીવન નાશમાથી બચે. Christmas ખરેખર ખુશી નો પર્વ છે પણ ફક્ત ખાવુ, પીવુ અને નાચવુ ઍ ઍકમાત્ર ઉદ્દેશ નથી. Christmas તો પ્રેમ, શાંતિ અને આશા નો પર્વ છે.  Christmas ની ખરી ઉજવણી તો ત્યારેજ અર્થપુર્ણ થાય જ્યારે ઍ ઉજવણિમા ખ્રિસ્ત ઇસુનુ જીવન પ્રદર્શિત થાય, સમાજ મા પ્રેમ, શાંતિ અને આશાનો સંદેશ પહોચે, ક્રિસ્મસ ની ખુશી જ્યારે સમાજના બધાજ લોકો સાથે અને ખાસ કરીને છેવાડાના લોકો સાથે વહેચવમા આવે, જરૂરીયાત વાળા લોકોની મદદ કરવામા, ઘરની સાફ સફાઈ ની સાથે પોતાના મન ની પણ સફાઈ કરવામા આવે, ઍક બીજાને માફ કરવામા આવે, પોતાનો અહમ્ અને 'હુ' પણુ બાજુ પર મુકી નમ્રતાથી ઍક બીજાને નાતાલની વધામણી આપવામા આવે ત્યારેજ Christmas ની ખરા અર્થમા ઉજવણી થઈ ગણાશે.

( આ લખનાર Christmas ની ઉજવણી તેના સાચા ઉદેશ્ય સાથે કરવામા આવે ઍ બાબતે પ્રયત્નશીલ છે :-) )   

No comments:

Post a Comment